ગુજરાતના નવા મુખ્યમંત્રીના નામને લઇ ગઇ કાલથી જ ગુજરાતના રાજકારણમાં તેમજ સટ્ટા બજારમાં અવનવી અટકળો ચાલી રહી હતી. ત્યારે આજે આખરે ગુજરાતના 17માં મુખ્યમંત્રીના નામ પર અંતિમ મહોર મારી દેવામાં આવી છે. જેમાં ઘાટલોડિયા બેઠકના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ત્યારે અહીં જોઇશું કે આખરે તેઓની રાજકીય કારકિર્દી શું રહી હતી?

જાણો કોણ છે ભૂપેન્દ્ર પટેલ?
- ૧.૧૭ લાખ મતોની લીડ સાથે જીત્યા હતાં ચૂંટણી.
- ઔડાના ચેરમેન રહી ચૂક્યાં છે ભૂપેન્દ્ર પટેલ.
- અમદાવાદ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહ્યાં.
- પાટીદાર સમાજનું કરે છે નેતૃત્વ.
- આનંદીબહેન પટેલના સ્થાને ઘાટલોડિયામાંથી લડ્યા હતા ચૂંટણી.
- પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના અત્યંત વિશ્વાસુ.
- ભાજપના જમીનીસ્તરના કાર્યકર.
- તેઓ કન્સ્ટ્ર્કશનના વ્યવસાય સાથે સંકળાયેલા છે.
- ભૂપેન્દ્ર પટેલ કડવા પાટીદાર છે.
- પાટીદાર સમાજના મજબૂત પકડ ધરાવતા નેતા છે.
- તેઓ ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય છે.
- 2017 વિધાનસભામાં ગુજરાતમાં સૌથી મોટા માર્જીનથી જીત્યા હતાં.
- 2017માં 1,17,000 મતથી જીત પ્રાપ્ત કરી હતી.
- 1987થી ભૂપેન્દ્ર પટેલ ભાજપ સાથે સંકળાયેલા છે.
ALSO READ:
- રામ નવમી 2023: શુભ યોગમાં રામ નવમી, આ રાશિના લોકોને મળશે ધનલાભની સારી તક
- મુસીબતનું માવઠું! ગુજરાતમાં બે દિવસ માવઠાની આગાહી, વરસાદની સાથે સાથે ભારે પવન ફૂંકાશે
- દુનિયામાં સૌથી વધુ સોનુ(GOLD) કોણ ખરીદે છે અને શા માટે ? આવો જાણીએ
- ફિલિપાઈન્સ / 250 લોકોને લઈ જતી ફેરીમાં આગ લાગતા 12 જીવતા ભડથું, મૃતકોમાં 3 બાળકોનો પણ સમાવેશ
- Suhana Khan Agastya Nanda/ વાયરલ થયો ફલાઈંગ કિસનો વીડિયો, ચર્ચામાં આવ્યા સ્ટારકિડ્સ