બુરાઈ પર અચ્છાઈની જીતનો પર્વ દશેરાને ખુબ શુભ અને સર્વસિદ્ધિ મુહૂર્ત માનવામાં આવે છે. આ દિવસને લઇ દેશના વિવિધ રાજ્યોમાં અલગ અલગ પરંપરા છે. જેમકે- મહારાષ્ટ્રમાં દશેરાના દિવસે સોના અથવા ચાંદીની પત્તી ખરીદવામાં આવે છે જેથી સમગ્ર વર્ષ સંપન્નતા બનેલી રહે. ત્યાં જ આ દિવસને યાત્રા માટે શુભ માનવામાં આવે છે કારણ કે આ દિવસે માતા દુર્ગા ધરતીથી પોતાના લોકોમાં પરત પ્રસ્થાન કરે છે.

જ્યોતિષ અને તંત્ર-મંત્રના લિહાજે પણ દશેરાના ઉપાય અને ટોટકા કરવા માટે ઉત્તમ દિવસ માનવામાં આવે છે. આ દિવસે કરવામાં આવેલ ઉપાય અને ટોટકાઓના ઘણા વધુ ફળ મળે છે.
દશેરા પર જરૂર કરો આ કામ
જો તમે પણ આખું વર્ષ સંપન્નતા અને સુખથી જીવન વ્યતીત કરવા માંગો છો તો 15 ઓક્ટોબર 2021ના રોજ દશેરાના દિવસે આ કામ જરૂર કરો.

- દશેરાના દિવસે નીલકંઠ પક્ષીના દર્શન કરો. એવું કરવું ખુબ શુભ હોય છે. નીલકંઠ જોવાથી આખું વર્ષ ખુશાલ રહે છે.
- દશેરાના દિવસે શમીના ઝાડની પૂજા કરો. એનાથી ઘરમાં બરકત બનેલી રહે છ. ત્યાં જ શમી ઝાડને લગાવવું દશેરાના દિવસે સૌથી શુભ માનવામાં આવે છે કારણ કે આ દિવસે કુબેરે રાજા રઘુને સોનની મુદ્રા આપવા માટે શમીના ઝાડના પાનને સોનાના બનાવી દીધા હતા. માટે દશેરાના દિવસે સોનાની પત્તી ખરીદવામાં આવે છે.
- દશેરાના દિવસે થોડી જ દૂર પણ યાત્રા કરવી જોઈએ. એનાથી આખા વર્ષમાં યાત્રા કરવામાં બાધા આવતી નથી.
- દશેરાના દિવસે નવા રૂમાલથી માતા દુર્ગાના ચરણ લૂછો અને એને તિજોરી અથવા પૈસા મુકવાની જગ્યા પર રાખો. આખું વર્ષ માતાના આશીર્વાદથી ઘરમાં સંપન્નતા રહેશે. યાદ રાખો કે કપડું અથવા રૂમાલ લાલ કલરનું હોય છે.
Read Also
- OpenAIથી દેશને કેવી રીતે ફાયદો થશે: ChatGPTના સંશોધક સેમ ઓલ્ટમેને PM મોદી સાથે કરી વાતચીત
- BS6 કાર હજુ પણ વેચાઈ રહી છે આડેધડ, તેમનું રજિસ્ટ્રેશન કેવી રીતે થઈ રહ્યું છે?
- અવકાશમાં જવાથી મગજ પર થાય છે ખરાબ અસર, કેન્સરનું પણ વધે છે જોખમ: નાસાના અભ્યાસમાં તારણ
- Donald Trump: વધુ એક કેસમાં ફસાયા ડોનાલ્ડ ટ્રમ્પ, ગોપનીય દસ્તાવેજો પોતાની પાસે રાખવાના મામલે ચાલશે કેસ
- ક્રિકેટર બનવા માંગતો હતો કરણ વાહી, આ કારણે બનવું પડ્યું એક્ટર