બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની 31 બેઠકો માટેનું મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થયું છે. 2171 પૈકી 1488 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. એટલે કે લગભગ 68.50 ટકા મતદાન નોંધાયુ હતું. ચૂંટણીમાં પૂર્વ ક્રિકેટર અંશુમન ગાયકવાડ, કિરણ મોરે, નયન મોંગિયા, મુનાફ પટેલ, જેકોબ માર્ટિન અને અતુલ બેદાડેએ પોતાના મતાધિકારીનો ઉપયોગ કર્યો હતો.
બરોડા ક્રિકેટ એસોસિયેશન ચૂંટણીમાં રાજવી પરિવાર દ્વારા પણ મતદાન કર્યુ હતું. રાજમાતા શુભાંગીની દેવી સાથે મહારાણી રાધિકા રાજે ગાયકવાડે પણ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. છ વર્ષ બાદ આયોજિત બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં વિદેશથી આવેલા મતદારોએ મતદાન કર્યુ હતું. જ્યોતિ લિમીટેડ કંપનીના ગાર્ડનમાં આયોજિત ચૂંટણીમાં વૃદ્ધ અને બિમાર મતદારો માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
READ ALSO
- Amritsar/ સુવર્ણ મંદિર પાસે બોમ્બ મુકાયાની માહિતી, સમગ્ર પંજાબમાં રેડ એલર્ટ
- Train Accidents: વર્ષ 2012 પછી થયેલા મોટા ટ્રેન અકસ્માત, જેણે રેલ મુસાફરોના મનમાં ડર પેદા કર્યો
- Train Accidents: વિકૃત મૃતદેહો, ખડી પડેલા ડબ્બા, પીડાથી કણસતા લોકો, ટ્રિપલ ટ્રેન અકસ્માતમાં મોતનો આંક પહોંચ્યો 237, 900થી વધુ લોકો ઘાયલ
- Odisha Train Accident / ઓડિશામાં ટ્રેન અકસ્માતમાં મોતનો આંકડો વધીને 70 થયો, 350થી વધુ ઘાયલ
- કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેનના અકસ્માતના પગલે ટ્રેનની સેફ્ટી સિસ્ટમ કવચ સામે સવાલ, સિસ્ટમે કામ ન કર્યું કે હતી જ નહીં