રાજ્યમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળાનો પ્રારંભ થયો છે. ત્યારે બહુચરજીના કટોસણના રાજવી પરિવારના યુવરાજ ભાજપમાં સામેલ થયા. ધર્મપાલસિંહ સાથે સુરેન્દ્રનગરમાં એનએસયુઆઈના પ્રમુખ ધ્રુવજસિંહ પણ ભાજપમાં સામેલ થયા છે. તેમની સાથે એનએસયુઆઈના કાર્યકરોએ પણ મોટી સંખ્યામાં કેસરિયો ધારણ કર્યો છે.
Live: પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil ના નેતૃત્વમાં NSUI, યુથ કોંગ્રેસના અગ્રણી નેતા તેમજ સામાજિક આગેવાનોનું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત | સ્થળ: પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' https://t.co/IFmCDqNZPy
— BJP Gujarat (@BJP4Gujarat) May 14, 2022
- બહુચરજીના કટોસણના રાજવી પરિવારના યુવરાજ બીજેપીમાં જોડાયા
- કટોસણના યુવરાજ ધર્મપાલસિંહ જોડાયા બીજેપી માં
- Nsui ના હોદ્દેદારો પણ બીજેપી માં જોડાયા
- Nsui સુરેન્દ્રનગર ના પ્રમુખ ધુવ્રજસિંહ ચુડાસમા બીજેપી માં જોડાયા
- તેમના 300 સમર્થકો સાથે જોડાયા
જણાવી દઇએ કે કોંગ્રેસમાં જૂથવાદ અને યુવાનોની અવગણનાથી કંટાળી રાજીનામુ તમામ હોદ્દેદારોએ રાજીનામા આપ્યા હતા.

ભાજપમાં યુવાનોને સક્રીય રાજનીતિમાં ભાગીદારી, રાષ્ટ્રવાદ અને વિકાસની રાજનીતિ થી પ્રેરાઇને ભાજપમાં જોડાઇ રહ્યાં હોવાનું નિવેદન આપ્યું છે. વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણથી જિલ્લાના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો વ્યાપી ગયો છે.

જણાવી દઇએ કે સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસ પાર્ટીમાં ભૂકંપ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કોંગ્રેસના આગેવાનો અને યુવા નેતાઓ સહિત 100થી વધુ કાર્યકરોએ સામૂહિક રાજીનામા ધરી દીધા છે જે બાદ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. રાજીનામું ધરી દેનાર લોકોમાં જિલ્લામાં કોગ્રેસની વિદ્યાર્થી પાંખના પ્રમુખનો પણ સમાવેશ થાય છે.
Read Also
- મોટા સમાચારઃ મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે પણ પેટ્રોલ- ડીઝલ પર ઘટાડ્યો વેટ, ભાજપ શાસિત રાજ્યો ક્યારે ઘટાડશે ભાવ ?
- ગાંધીનગરના કોબા ખાતે આવેલા વિશ્વ પ્રસિદ્ધ જિનાલયમાં અલૌકિક ખગોળીય ઘટના
- કામની વાત / બચત ખાતાના કેટલા પ્રકાર છે?, જાણો તમારા માટે ક્યું ખાતુ રહેશે શ્રેષ્ઠ
- સ્માર્ટફોન અને ઈન્ટરનેટ વગર કરો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
- માછીમારીની સીઝન 10 દિવસ વહેલી પૂરી કરવા આદેશ જારી, ચોમાસા પહેલાજ પૂર્ણ કરી સિઝન