GSTV
India News Trending

શ્રીનગરમાં સુરક્ષા જવાનો પર હુમલો, કોન્સ્ટેબલ શહીદ અનેક આતંકીઓ ઘુસવાની ફિરાકમાં

શ્રીનગરમાં આતંકીઓ દ્વારા સુરક્ષા જવાનો પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં એક પોલીસ કોન્સ્ટેબલ શહીદ થઇ ગયા હતા. આતંકીઓ છુપાયા હોવાની જાણકારી મળ્યા બાદ પોલીસ દ્વારા કવર ઓપરેશન લોંચ કરાયું હતું. જોકે આતંકીઓને પોલીસની હાજરીની જાણકારી મળી જતા ગોળીબાર કરી દીધો હતો. જેમાં કોન્સ્ટેબલ આમિર હુસૈન આતંકીઓ સામે લડતા લડતા શહીદ થયા હતા.

જે આતંકીઓએ આ હુમલો કર્યો તેઓ લશ્કરે તોયબા સાથે સંકળાયેલા હોવાની જાણકારી પોલીસને મળી છે. જેને પગલે હાલ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને નાસી છૂટેલા આતંકીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. દરમિયાન જમ્મુ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં ગ્રેનેડ વડે હુમલો કરાયો હતો, આ હુમલા સાથે સંકળાયેલા ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા ફઝિલ રાશિદની જ્યારે પૂછપરછ કરાઇ ત્યારે અન્ય બે શંકાસ્પદો કૈઝર ખાન અને અન્ય એકની ધરપકડ કરાઇ હતી. ગ્રેનેડ હુમલો સીઆરપીએફના કેમ્પ પર કરવામાં આવ્યો હતો. જ્યારે જેની ધરપકડ કરાઇ છે તેની પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો પણ જપ્ત કરાયા છે જેમાં ત્રણ ચાઇનિઝ પિસ્તોલ, છ મેગઝિન્સ, ચાર ગ્રેનેડ્સ, ૩૦ રાઉન્ડ્સનો સમાવેશ થાય છે.

અથડામણ

બીજી તરફ સરકારે જણાવ્યું છે કે હાલ પણ પીઓકેમાં અનેક આતંકીઓ ઘુસણખોરી માટે તૈયાર હોવાની જાણકારી મળી છે. જોકે સાથે એવો પણ દાવો સરકારે કર્યો હતો કે આતંકીઓ સરહદે છે પણ ઘુસણખોરીનું પ્રમાણ ઘટી રહ્યું છે. વર્ષ ૨૦૧૮માં ઘુસણખોરીની સંખ્યા ૧૪૩ હતી જે ૨૦૧૯માં વધીને ૧૩૮ થઇ અને ૨૦૨૦માં તેનાથી પણ ઘટીને ૫૦ પર આવી ગઇ હતી. જ્યારે ગયા વર્ષે આ સંખ્યા માત્ર ૩૪ રહી હતી. જમ્મુ કાશ્મીરના ડીજીપી દિલબાગસિંહે કહ્યું હતું કે હાલ પણ ટાર્ગેટ કિલિંગ એક મોટો પડકાર બની રહ્યો છે.

કેમ કે હાલ પણ ઘાટીમાં મોટા પ્રમાણમાં હથિયારો અને આતંકીઓ સક્રિય છે.

Read Also

Related posts

IMF ચીફની ચેતવણી, સરકારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી રોજગારી પર ખતરાને લઈને બનાવી પોલિસી

Hina Vaja

લાંબા સમય સુધી સૂર્યના કિરણોના સંપર્કમાં રહેવાથી ટેનિંગની સમસ્યા થઇ શકે છે, તેને દૂર કરવા માટે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો

Drashti Joshi

સ્વાસ્થ્ય અને સંપત્તિનો ખજાનો માનવામાં આવતું આ રત્ન અદ્દભુત, જાણો તેને ધારણ કરવાની વિધિ

Hina Vaja
GSTV