પતિ-પત્ની પર સોશિયલ મીડિયામાં કેટલાય મિમ્સ બનતા હોય છે. દરરોજ નવા નવા જોક સાંભળવા પણ મળે છે. કહેવાય છે કે, દુનિયા એવું કોઈ નથી, જે પત્નીથી પરેશાન ન હોય. પણ કેટલાય લોકો એવા પણ હોય છે. જે એટલા બધાં હેરાન થઈ જાય છે કે, છૂટાછેડા સુધી વાત પહોંચી જાય છે. જો કે, લગ્નને એક પવિત્ર બંધન માનવામાં આવે છે.
આજે અમે આપને એક આવા જ આશ્રમ વિશે બતાવા જઈ રહ્યા છીએ જે, ફક્ત એવા લોકો માટે ખોલવામાં આવ્યો છે, જે પોતાની ઘરવાળીથી કંટાળી ગયો હોય. તેની ખાસ વાત એ છે કે, આ આશ્રમમાં એવા લોકોને જ પ્રવેશ આપવામાં આવે છે, જે બીજા લગ્નનો મનમાં વિચાર પણ ન કરે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાથી 12 કિમી દૂર શિરડી મુંબઈ હાઈવે પર તે આવેલો છે. આશ્રમમાં સલાહ લેવા આવનારા લોકોની સંખ્યા દિવસેને દિવસે વધતી જ જાય છે.

કહેવાય છે કે અત્યાર સુધીમાં 500 લોકો અહીંથી સલાહ લઈ ગયા ચછે. હાઈવે પરથી જોતા એક નાનો એવો રૂમ હોય તેવું લાગશે, અંદર જતાં આબેહૂબ આશ્રમ લાગશે. રૂમમાં અંદર જતાં જ એક ઓફિસ બની છે. જ્યાં પત્નીની પીડિત પુરુષોને સલાહ આપવામાં આવે છે. દરરોજ સવાર સાંજ અગરબત્તીને લગાવીને અહીં પૂજા થાય છે. દર શનિવાર અને રવિવારે સવારે 10થી 6 વાગ્યાની સુધી પત્ની પીડિતોનું કાઉંસલિંગ કરવામાં આવે છે.
છત્તીસગઢ, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશથી મોટા ભાગના લોકો અહીં સલાહ લેવા જઈ રહ્યા છે. આશ્રમમાં રહેતા લોકો ખિચડી શાક દાળ બનાવે છે. જે પણ વ્યક્તિ અહીં સલાહ લેવા આવે છે તેને ખિચડી ખવડાવામાં આવે છે. આ આશ્રમમાં ABC ત્રણ કેટેગરી બનાવામાં આવી છે. જે પુરુષ પત્ની અથવા સાસરિયાવાળાથી કંટાળેલો છે તેને A કેટેગરીમાં મુકવામાં આવે છે.
READ ALSO
- એશ્વર્યા રાયની અપકમિંગ ફિલ્મ Ponniyin Selvanનું ટીઝર થયુ પોસ્ટપોન, મેકર્સે આપ્યું આ કારણ
- શમશેરાના ટ્રેલર લોન્ચ માટે જઈ રહેલા રણબીર કપૂરને નડયો અકસ્માત
- કોરોના કવચ / 7 થી 11 વયના બાળકોને અપાઈ શકે છે Covovax વેક્સિન, સરકારી સમિતિએ કરી ભલામણ
- મંત્રી ગડકરીની નવી જાહેરાત / વાહનોને અકસ્માત પરીક્ષણોના આધારે મળશે સ્ટાર રેટિંગ, સુરક્ષિત વાહનો માટે થશે ઉપયોગી
- એક પાલતું પશુ વર્ષમાં છોડે છે 80 થી 120 કિલો મીથેન ગેસ, 1 વર્ષ કાર ચલાવવા જેટલું પર્યાવરણને થાય છે નુકસાન