GSTV
Aravalli ગુજરાત ટોપ સ્ટોરી

30 વર્ષનો વિકાસ / ગુજરાતના સિંચાઈ ઇજનેરોની કમાલ, કાગળ પર બનાવી નાખી સિંચાઈની કેનાલ

ગુજરાતમાં સિંચાઇના ઇજનેરોએ કમાલ કરી દીધી છે. સિંચાઇની કેનાલના પાણી ખેડૂતોને આપવા માટે ફાઇલમાં કેનાલ ચિતરી નાંખતાં ખેડૂતોને પાણી નહીં પણ કાગળ જોવા મળ્યાં છે. એક કરોડ રૂપિયાનો ખર્ચ ઉધરાઇ ગયો છતાં કેનાલ ગાયબ છે. કેનાલનું પાણી જળાશયમાંથી બહાર નિકળી શક્યું નથી.

ઉત્તર ગુજરાતમાં ભ્રષ્ટાચારનો ઉત્તમ નમૂનો જોવા મળ્યો છે. મેઘરજ તાલુકામાં 1992માં ખેડૂતોને સિંચાઇના પાણીનો લાભ આપવા માટે 265 એકર જમીન સંપાદિત કરીને સીમલેટી નાની સિંચાઇ યોજના અમલમાં મૂકવાનું નક્કી કર્યું હતું સિંચાઇ વિભાગે વિવિધ ગામોની જમીન સંપાદિત કરી સીમલેટી ગામના તળાવ પર 16 લાખના ખર્ચે જળાશય બનાવવામાં આવ્યું હતું અને તેને સંલગ્ન કેનાલ બનાવવાની થતી હતી.

આ જળાશય પછી કેનાલના કામો માટે એક કરોડ રૂપિયા મંજૂર કરાવીને તેનો ખર્ચ ઉધારી દેવામાં આવ્યો હતો પરંતુ 30 વર્ષ પછી પણ કેનાલના ઠેકાણાં જોવા મળતા નથી. રાજ્યના સિંચાઇ મંત્રીને આ અંગેની ફરિયાદ કરવામાં આવી છે. આ કેનાલ અંગે ગામના સંરપંચ કહે છે કે કેટલાક અધિકારીઓ અને તકવાદી સ્થાનિક નેતાઓએ મિલીભગત કરીને કેનાલ થવા દીધી નથી અને રૂપિયા ખાઇ ગયા છે.

ફાઈલ ફોટો

સિંચાઇ મંત્રીને રજૂઆત કરતાં આગેવાનોનું કહેવું છે કે આ વિસ્તારના આદિવાસી ખેડૂતો હાલ સિંચાઇના પાણી મળી રહ્યાં નથી. આ કેનાલનું કામ ફરીથી શરૂ થાય તો 15 ગામોના ખેડૂતોની જમીનમાં સિંચાઇની સુવિધા ઉપલબ્ધ બની શકે તેમ છે, કેમ કે દર ચોમાસે આ જળાશય પાણીથી છલકાય છે પરંતુ કેનાલના અભાવે તેનું પાણી ખેડૂતો વાપરી શકતા નથી.

READ ALSO

Related posts

સુરેન્દ્રનગરમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત! ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે થયો ભીષણ અકસ્માત, 15થી વધુ મજૂરો થયા ઈજાગ્રસ્ત

pratikshah

મુંબઈ / વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે સવારથી કમોસમી વરસાદ, દેશના 12 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

Kaushal Pancholi

BIG BREAKING: વિદ્યાર્થીઓ શરૂ કરી દો તૈયારી! રાજ્યમાં ગુજકેટની પરીક્ષાની તારીખો થઈ જાહેર, 1.30 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

pratikshah
GSTV