ઉદ્યોગ અને નિર્માણ જગતમાં ભારતમાં ઝડપથી ઉભરી રહ્યો છે. કોરોના કાળ પછી જ્યાં દુનિયાભરના માર્કેટમાં હોબાળો મચ્યો છે, આવી સ્થિતિમાં ભારત અર્થવ્યવસ્થાની બાબતે સતત આગળ વધી રહ્યું છે. આનું પરિણામ એ છે કે, તમામ વૈશ્વિક દિગ્ગજ કંપનીઓની નજરમાં ભારત રોકાણ માટે સુરક્ષિત બજાર બની રહ્યુ છે. ઘણી મોટી કંપનીઓ અન્ય દેશોમાંથી તેમનો કારોબાર બંધ કરીને ભારતમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહી છે.

તાજેતરનો કિસ્સો ટેક જગતની દિગ્ગજ કંપની એપલથી જોડાયેલ છે. જાણકારી મળી છે કે, એપ્પલ ચીનથી પોતાના ઉત્પાદનને બીજા દેશમાં ટ્રાન્સફર કરવાનો વિચાર કરી રહી છે અને તેણે ભારત એક સારો ઓપ્શન તરીકે જુએ છે.
ભારત પ્રથમ પસંદગી બની ગયું
Appleએ પોતાના કેટલાક કોન્ટ્રાક્ટ ઉત્પાગકોને ચીનની બહાર ઉત્પાદન વધારવા માટે સુચના આપી છે. વોલ સ્ટ્રીટ જર્નલના જણાવ્યા અનુસાર એપલ ભારત અને વિયેતનામમાં પોતાનો બિઝનેસ સ્થાપવાની સંભાવનાઓ પર વિચારણા અને અભ્યાસ કરી રહી હોવાનું જાણવા મળે છે. એપલના વૈશ્વિક ઉત્પાદનમાં હાલમાં ભારત અને વિયેતનામનો હિસ્સો બહુ ઓછો છે. અનુમાન મુજબ, સ્વતંત્ર નિર્માતા ચીનમાં 90 ટકા વધારે એપલ ઉત્પાદકો જેવા આઈફોન, આઈપેડ અને મેકબુક કોમ્પ્યુટરનું નિર્માણ કરે છે.
એપલના સીઈઓ ટિમ કૂકે ગયા મહિને કહ્યું હતું કે, તેમની સપ્લાય ચેઈન ખરેખર વૈશ્વિક છે અને તેથી ઉત્પાદનો દરેક જગ્યાએ બનાવવામાં આવે છે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ સતત અન્ય દેશોમાં સંભાવના પર લગાતાર વિચાર કરી રહ્યા છે.
શું છે કારણ?
નિષ્ણાતોનું કહેવું છે કે તાજેતરના ભૂતકાળમાં એપલના વરિષ્ઠ અધિકારીઓ આ મુદ્દા પર સતત ચર્ચા કરી રહ્યા છે. ચીનના પોતાના કારોબારો સમિટની પાછળ એક્સપર્ટ બિજીંગના દમનકારી શાસન અને અમેરિકાની સાથે તેના વધતા વિવાદને જવાબદાર જણાવી રહ્યા છે. નિરીક્ષકોના મતે એપલની ચીન પરની નિર્ભરતા મોટા જોખમથી ભરપૂર છે. Appleની મેન્યુફેક્ચરિંગ યોજનાઓથી પરિચિત લોકોના જણાવ્યા અનુસાર, કંપની તેની મોટી વસ્તી અને ઓછી કિંમતને કારણે ભારતને આગામી ચીન તરીકે જુએ છે.

વાસ્તવમાં ચીનમાં કુશળ કામદારોની સંખ્યા એટલી છે કે આ સંખ્યા એશિયાના ઘણા દેશોની વસ્તી કરતા વધુ છે. વધુમાં, Appleએ ચીનમાં સ્થાનિક સરકારો સાથે કામ કર્યું છે તેની ખાતરી કરવા માટે કે તેના કોન્ટ્રાક્ટરો પાસે પૂરતા પ્રમાણમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સપ્લાય ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મોટા પાયાના પ્લાન્ટમાં iPhones બનાવવા, સ્ટોર કરવા અને સપ્લાય કરવા માટે સંસાધનો છે.
2020ની શરૂઆતમાં કોવિડ રોગચાળો વિશ્વભરમાં ફેલાય તે પહેલા જ એપલ ચીનથી દૂર જવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ રોગચાળાએ તેનું આયોજન અટકાવી દીધું હતું. Apple ફરીથી દબાણ કરી રહ્યું છે અને કોન્ટ્રાક્ટરોને નવી ઉત્પાદન ક્ષમતા મેળવવા સૂચના આપી રહ્યું છે. 2021 માં પાવર કટના કારણે ચીનની નિર્ભરતા વધુ ખરાબ થઈ.
કોવિડ રોગચાળાને કારણે, ઘણા ચીને અહીં કડક નિયંત્રણો લાદ્યા છે. આ પ્રતિબંધોને કારણે, Appleએ છેલ્લા બે વર્ષમાં માત્ર થોડા જ એક્ઝિક્યુટિવ્સ અને એન્જિનિયરોને ચીન મોકલ્યા છે, જેના કારણે ઉત્પાદનના સ્થળોનું વ્યક્તિગત નિરીક્ષણ કરવું મુશ્કેલ બન્યું છે.
READ ALSO:
- વિકાસ/ ગુજરાતમાં ૩૭૬૦.૬૪ કરોડના ખર્ચે ૩૪ નેશનલ હાઇવે બનાવશે મોદી સરકાર, અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં અહીં બનશે નવા ફ્લાય ઓવર
- રૂપિયો તૂટ્યો! ડોલરની સામે 78.96ના ઐતિહાસિક તળિયે પહોંચ્યો, શું મહામંદીના ગ્રહણનાં એંધાણ?
- મહારાષ્ટ્રની રાજકીય ઉથલપાથલે લીધો નવો વળાંક, ઉદ્ધવ ઠાકરેને ફ્લોર ટેસ્ટ દ્વારા બહુમતી સાબિત કરવાનો આદેશ,
- શિંદેએ બાગી ધારાસભ્યો સાથે કામાખ્યા મંદિરના કર્યા દર્શન, મુંબઈ થોડાક સમયમાં પહોંચશે!
- રિલાયન્સ/ આગામી પેઢીને લગામ સોંપવાની પ્રક્રિયા ઝડપી બની, આકાશ અંબાણી બાદ ઈશાને મળી શકે છે આ વ્યવસાયની કમાન