રાજ્યમાં ફરી એક વાર મધ્યાહન ભોજનના અનાજમાંથી જીવાત નીકળી છે. સરકાર જનતા માટે જુદી જુદી યોજનાઓની તો બહુ વાતો કરે છે. પરંતુ જમીન પર તેના અમલની હકીકત કંઈક અલગ જ હોય છે. અહીં સરકારના પુરવઠા વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના વાસણા ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનના અનાજમાં જીવાત નીકળી હતી. મધ્યાહન ભોજનમાંથી સડેલુ અનાજ નીકળતા વાલીઓ ચોકી ઉઠ્યા હતા.

આ એ જ અનાજ છે કે જેમાંથી શાળાના બાળકો માટે ભોજન બનાવવામાં આવે છે. ત્યારે શું યોજનાના નામે બાળકોને આવું ભોજન આપવામાં આવશે? ગોડાઉનના અનાજમાં જીવાત હોવાની જાણ થયા બાદ પણ પુરવઠા વિભાગે કોઇ નક્કર કાર્યવાહી કરી નથી. સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોના સ્વાસ્થ્ય સાથે આ રીતસરના ચેડા થઈ રહ્યા છે. આવી ઘટના સામે સરકાર ક્યાં સુધી આંખ મિચીને બેસી રહેશે ?

READ ALSO
- શોકિંગ વીડિયો/ ટ્રેક્ટરમાં એટલી બધી શેરડી ભરી દીધી કે આગળથી ઊંચું થઈ ગયું ટ્રેક્ટર, રસ્તા વચ્ચે દોડતા ટ્રેકટરને જોઈને ચોંકી જશો
- અમદાવાદ / રાહદારીઓને છરો બતાવી લૂંટ કરતી ગેંગના 3 સભ્યોની ધરપકડ, 8 કેસનો ભેદ ઉકેલાયો
- સુપ્રીમ કોર્ટે ઈલેક્શન કમિશનરની નિયુક્તિની સરકારી વ્યવસ્થાને બદલવાનો નિર્ણય કર્યો, અગાઉ ચૂંટણી પંચની નિષ્પક્ષતા-વિશ્વાસ પર થતા અનેક સવાલો
- અમેરિકન ન્યૂઝ પેપર વોલ સ્ટ્રીટે ભાજપના વખાણ કર્યા, વિશ્વનો સૌથી મહત્વપૂર્ણ રાજકીય પક્ષ ગણાવ્યો
- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની WTC ફાઇનલને લઈને આ દિગ્ગજે કહી મોટી વાત, કેનિંગ્ટન ઓવલમાં આવો રહ્યો છે ભારતીય રેકોર્ડ