GSTV
Ahmedabad ગુજરાત

રજાઓમાં લોકો બહારગામ જતા રહ્યા હોવાને કારણે AMTSને દિવાળી ન ફળી

દિવાળીના દિવસોમાં એએમટીએસની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે..સામાન્ય દિવસોમાં એએમટીએસમાં રોજના 5થી6 લાખ મુસાફરો મુસાફરી કરે છે. આ દિવસોમાં  22થી 24 લાખની રૂપિયાની આવક થાય છે. પરંતુ દિવાળીના પર્વ પર લોકો બહારગામ જતા હોય છે.

બીજી તરફ બજારો બંધ રહે છે. જેથી મુસાફરોની સંખ્યા ઘટડો થતા આવકમા ઘટાડો જોવા મળ્યો. ગત વર્ષે દીવાળીમા એએમટીએસને 84 લાખ જેટલી આવક થઇ હતી. જ્યારે આ વર્ષે 82 લાખની આવક થઇ છે.

એટલેકે ગત વર્ષની દીવાળીની સરખામણીએ આવકમા ઘટાડો નોધાયો છે.આ વર્ષે દીવાળીના પર્વ પર થયેલી આવક પર નજર કરીએ તો… ધનતેરસના દિવસે 22 લાખ 11 હજાર 815, કાળી ચૌદસે 19 લાખ 47 હજાર 64 રૂપિયાની આવક, દિવાળીના દિવસે 14 લાખ 2 હજાર 504, બેસતા વર્ષે-12 લાખ 5 હજાર 359 અને ભાઇબીજના દિવસે15 લાખ 30 હજાર 29 રૂપિયાની આવક થઇ હતી.

દિવાળી પર્વની એએમટીએસની આવક

  • ધનતેરસ             ૨૨,૧૧,૮૧૫
  • કાળી ચૌદસ       ૧૯,૪૭,૦૬૪
  • દિવાળી             ૧૪,૦૨,૫૦૪
  • બેસતુ વર્ષ          ૧૨,૦૫,૩૫૯
  • ભાઇબીજ          ૧૫,૩૦,૦૨૯

READ ALSO

Related posts

વલસાડના  ઉમરગામ હાલ ભૂમાફિયાઓ માટે સ્વર્ગ સમાન બન્યો, ભૂમાફિયાઓ ખુલ્લેઆમ સરકારી કચેરીઓમાં શેકી રહ્યા છે પોતાનો રોટલો

pratikshah

45 લાખમાં છૂટાછેડાનું નક્કી થયું છતા લાલચી સસરાએ 50 લાખ અને ફ્લેટની માંગ કરી, ના પાડી તો જમાઈનું ઘર સળગાવ્યું

Kaushal Pancholi

PHOTO / પાટણના પટોળા બાદ હવે ઢીંગલી વર્કની પણ ડિમાન્ડ વધી, દેશમાં ગુજરાત અને યુપીમાં જ થાય છે આ વર્ક

Kaushal Pancholi
GSTV