નરેન્દ્ર મોદીની સરકાર પશ્ચિમ બંગાળને રૂપિયા ૩.૫૯ લાખ કરોડ આપ્યા હતા એવા ગૃહ મંત્રી અમીત શાહના દાવાને બંગાળની નાણા મંત્રી અમીત મિત્રાએ ફગાવ્યો હતો. મિત્રાએ કહ્યું હતું કે કેન્દ્રની યોજનાઓ અને કેન્દ્ર દ્વારા પ્રાયોજીત યોજનાઓ માટે બંગાળને રૂપિયા ૧૧૩.૬૧ કરોડ જ આપ્યા હતા. જે શાહના દાવા કરતાં એક તૃતિયાંશ કરતાં પણ ઓછા હતા. ગયા સપ્તાહે દક્ષિણ ૨૪ પરગણા ખાતેની એક જાહેર સભામાં શાહે મુખ્યમંત્રી મમતા બેનર્જી તેમના ભત્રીજા અભિષેક અને તેના ગુન્ડાઓ પર મોદી સરકારે આપેલી આખી રકમ ચાંઉ કરી જવાનો આક્ષેપ કર્યો હતો.

મિત્રાએ શાહને ગમે તે મંચ પર તેમની સાથે ચર્ચા કરવા પડકાર ફેંક્યો હતો. ‘મને ખબર નથી પડતી કે તેઓ ક્યાંથી આવા બોગસ આંકડા લઇ આવે છે. તેઓ બદ ઇરાદા સાથે ગંદુ રાજકારણ રમે છે’ એમ મિત્રાએ કહીને ઉમેર્યું હતું કે ‘આ પૈસા કંઇ મોદીના ખાતામાંથી નથી આવતા. હકીકત એ છે કે કેન્દ્ર સરકાર રાજ્યો પાસેથી કર ઉઘરાવે છે અને રાજ્યોને આ રકમમાંથી જ પૈસા અપાય છે. અધુરામાં પુરૂં શાહે આપેલા આંકડા તદ્દન ખોટા હતા’.

નંદીગ્રામને લઇને તૃણમુલ અને ભાજપ વચ્ચે ચડભડ વધી
બંગાળ ભાજપના પ્રભારી કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું હતું કે જો મુખ્યમંત્રી અને ટીએમસીના વડા મમતા બેનર્જીમાં તાકાત હોય તો તેઓ નંદી ગ્રામમાંથી ચૂંટણી લડીને બતાવે.ટીએમસીએ વળતો હુમલો કર્યો હતો અને કહ્યું હતું કે અમને તો એ જ નથી સમજાતું કે શા માટે ભાજપ નંદીગ્રામના તેમના ઉમેદવારના નામની જાહેરાત કરતું નથી.
મુખ્યમંત્રી કોણ હશે એની પણ કેમ જાહેરાત કરાતી નથી?
ભાજપે મમતાને ડરે આજ સુધી નંદીગ્રામનો તેમનો ઉમેદવાર કોણ હશે તેની જાહેરાત કરી નથી અને એમ પણ કહ્યું હતું કે મુખ્યમંત્રીના નામની જાહેરાત ચૂંટણી પછી કરશે. ઉલ્લેખનીય છેકે, મમતા બેનર્જીએ તો જાન્યુઆરીમાં જ જાહેરાત કરી દીધી હતી કે તેઓ નંદીગ્રામમાંથી અધિકારીની સામે ચૂંટણી લડશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- અમદાવાદનું નામ કર્ણાવતી કરવા અંગે સીએમએ કોંગ્રેસના ધારસભ્યને આપ્યો લેખિતમાં જવાબ
- બજેટ 2021-22/ રાજયમાં યાત્રાધામ અને પ્રવાસન સ્થળોએ વિકસાવાશે કાયમી હેલીપેડ, અમદાવાદ-મુંબઇ બુલેટ માટે 1500 કરોડની ફાળવણી
- બજેટ 2021-22/PM મોદીના વતન વડનગર માટે નાણામંત્રીની મોટી જાહેરાત, આટલા કરોડના ખર્ચે બનશે એથ્લેટીક ટ્રેક અને સ્પોર્ટ્સ હોસ્ટેલ
- ગતિશીલ ગુજરાતમાં ગુનાખોરી ‘પ્રગતિના પંથે’, વિધાનસભામાં જાહેર કરાયા ચોંકાવનારા આંકડા
- સુપ્રીમનો સૌથી મોટો ચુકાદો : મોદી સરકારથી જુદા વિચારો હોય એ દેશદ્રોહી ના ગણાય, ફારૂક અબ્દુલ્લાહને આપી દીધી મોટી રાહત