રાજ્યમાં અનલોક-4 લાગુ થઈ ગયું છે. ત્યારે બીજી તરફ ભાદરવા સુદ પૂર્ણિમા બુધવારે છે અને સામાન્ય રીતે આ દિવસે શક્તિપીઠ અંબાજી ખાતે ભવ્ય મેળો યોજાતો હોય છે. પરંતુ કોરોના મહામારીને પગલે આ વખતે મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે બંધ છે. હવે 3 સપ્ટેમ્બરથી અંબાજી મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવશે.

ભાદરવા સુદ પૂર્ણિમા બુધવારે છે
શ્રી આરાસુરી અંબાજી મંદિરે એક યાદીમાં જણાવ્યું કે, ‘દર્શનાર્થીઓ માટે 24 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. કોરોના વાયરસથી જનજીવનનું રક્ષણ થાય તેવા આશયથી ચાચર ચોકમાં સહસ્ત્રચંડી મહાયજ્ઞા યોજાઇ રહ્યો છે. મંગળવારે છઠ્ઠા દિવસે માતાજીના લલીતાસહસ્ત્રનું પઠન-અર્ચન-હોમ કરાયા હતા.
શક્તિપીઠનાં કપાટ
ચંડીપાઠમાં બ્રાહ્મણો દ્વારા માતાજીના મંદિરમાં બેસી 1 હજારથી વધુ પાઠ કરાયા હતા. સંપૂર્ણ યજ્ઞાની પ્રાપ્તિ થાય માટે આ પાઠનો હોમ આજે કરવામાં આવ્યો તેમજ આવતીકાલે પણ કરાશે. ‘ વિશ્વભરમાં વસતા મા અંબાના શ્રદ્ધાળુઓ માટે દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટની વેબસાઇટ, ફેસબૂક, યુ ટયુબ, ટ્વીટર, લાઇવ સ્ટ્રીમિંગ સર્વરના ડિજિટલ પ્લેટફોર્મ પર 27 ઓગસ્ટથી જીવંત પ્રસારણ કરાઇ રહ્યું છે. આ 6 દિવસમાં 29.50 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ઘરે બેઠા ડિજિટલ દર્શન કર્યા છે.
READ ALSO
- મોટા વાયદા/ ગુજરાતને એગ્રી કલ્ચર સ્ટેટ જાહેર કરાશે : 3 લાખનું દેવું માફ અને ખેડૂતોને 10 કલાક મળશે વીજળી
- સૈયા દિલ મેં આના ફેમ અંજલિ અરોરા ફેક MMS કાંડ, વીડિયો વાયરલ થતાં રડતી આંખે કહ્યું ઈજ્જત સાથે તો ના રમત કરોઃ આવી છે સમગ્ર ઘટના
- ‘તે મને જંગલ તરફ ખેંચી રહ્યો હતો, હું ખરાબ રીતે ચીસો પાડી રહ્યો હતો’ : આ એક્ટ્રેસે જણાવી હૃદયદ્રાવક ઘટના
- BIG NEWS : ગુજરાતના 6 પોલીસ અધિકારીઓ સહિત 151 પોલીસ કર્મીઓને આ વર્ષે મળશે સન્માન, કેન્દ્ર સરકારે નામની કરી જાહેરાત
- સાવધાન/ એક વાર પીઝા ખાવાથી જીવનની 7.8 મિનિટની ઉંમર થાય છે ઓછી, લાંબુ જીવન જીવવું હોય તો આ વસ્તુઓથી બનાવી લેજો દૂરી