જગતજનની માઁ જગદંબાના ધામ અંબાજીમાં આજે વર્ષનો સૌથી મોટો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. આજે ભાદરવી પૂનમ છે અને લાખો માઈભક્તો દિવસોની પદયાત્રા કરીને અંબાજીમાં શિશ ઝુકવી ધન્યતા અનુભવી રહ્યા છે. માઁ અંબાના દર્શનનું હરહંમેશ વિશેષ મહત્વ છે. અને અંબાજી ધામ દેશભરના 51 શક્તિપીઠોમાં એક છે. જ્યાં ભાદરવી પૂનમે દર્શનનું અનેરુ મહત્વ રહેલુ છે. ત્યારે આજે માઁ અંબાના દર્શનાર્થ માટે લાખો માઈભક્તો અંબાજીમાં છે. અને હજુ પણ લોકો પદયાત્રા કરીને અંબાજી પહોંચી રહ્યા છે. આજે મંદિરને હજારો લોકો ધજાઓ અર્પણ કરશે અને આગામી આસો માસની નવરાત્રિ પર માઁ અંબાને આવવા આમંત્રણ પાઠવશે. મોટી સંખ્યામાં માઈભક્તોના ધસારાને લઈને વહીવટી તંત્ર, પોલીસ તંત્ર અને મંદિર તંત્ર સજ્જ છે.