GSTV
India News Trending

અખિલેશનું લોકસભા માટે પછાત-મુસ્લિમ કાર્ડ, 2022ની વિધાનસભા ચૂંટણી બાદ વિખેરી નાંખી હતી રાષ્ટ્રીય કારોબારી

અખિલેશ યાદવે સમાજવાદી પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં કાકા શિવપાલ યાદવને લેતાં યાદવ પરિવારમાં સમાધાન થઈ ગયું  હોવાના સંકેત મળ રહ્યા છે. અખિલેશે હાલમાં જ રામચરિત માનસ અંગે વિવાદાસ્પદ નિવેદન કરનારા સ્વામીપ્રસાદ મૌર્ય અને આઝમ ખાનને પણ રાષ્ટ્રીય કારોબારીમાં લીધા છે. મૌર્યને રાષ્ટ્રીય મહામંત્રી પણ બનાવાયા છે. ભાજપનું કહેવું છે કે, મૌર્યને રામચરિત માનસના અપમાન બદલ સન્માનિત કરીને બઢતી અપાઈ છે.

અખિલેશ યાદવે 2022ની વિધાનસભા ચૂંટણીમાં હાર પછી રાષ્ટ્રીય કારોબારી વિખેરી નાંખી હતી. જો કે અખિલેશની નવી ટીમમાં બહુ ફેરફારો નથી. કિરણમોય નંદાને રાષ્ટ્રીય ઉપપ્રમુખ અને રામ ગોપાલ યાદવને રાષ્ટ્રીય મુખ્ય મહાસચિવ તરીકે ચાલુ રાખાયા છે.

રાષ્ટ્રીય કારોબારીમાં  80 ટકા પછાત જ્ઞાતિના અને 9 મુસ્લિમ નેતાઓને ભરીને અખિલેશે પછાત-મુસ્લિમ કાર્ડ રમવાનું નક્કી કર્યું છે એ સ્પષ્ટ છે.  કારોબારીમાં આઝમ ખાન સહિત 9 મુસ્લિમ નેતા છે. ભૂતપૂર્વ ધારાસભ્ય પવન પાંડે સહિત 4 બ્રાહ્મણોને પણ સ્થાન મળ્યું છે. સુદીપ રંજન સેનને રાષ્ટ્રીય ખજાનચી બનાવાયા છે.

Related posts

Viral Video/ બાઈકર ધુમ સ્ટાઈલમાં સ્ટંટ કરીને આગળ નીકળી ગયો, આ જોઈ પોલીસનું પણ માથું ચકરાઈ ગયું

Siddhi Sheth

જાણો કેટલો ખતરનાક છે અમિત શાહને ધમકી આપનાર અમૃતપાલ સિંહ? ધરપકડ માટે ચાલી રહેલા અભિયાનનો આજે ત્રીજો દિવસ

GSTV Web News Desk

ભારત ઓસ્ટ્રેલિયા વન ડે સીરિઝ વચ્ચે ભારત માટે ખુશખબરી, ત્રીજી મેચ પહેલા ટીમ સાથે જોડાશે આ દિગ્ગજ

HARSHAD PATEL
GSTV