ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં યોગી આદિત્યનાથે બહેતર બનેલા કાયદો અને વ્યવસ્થાના નામે મત માગ્યા હતા અને તેમને મત મળ્યા પણ ખરા, પરંતુ વાસ્તવિકતા યોગી સરકારના દાવા કરતાં બિલકુલ અલગ છે. યોગી સરકાર ભલે દાવા કરે કે આટલા ગુનેગારોના એન્કાઉન્ટર કર્યા અને આટલા ગુનેગારોને જેલમાં પૂર્યા પરંતુ તેનાથી ઉત્તરપ્રદેશમાં ગુનાખોરીમાં લગીરેય ઘટાડો થયો નથી. ઊલટું, ક્રાઈમરેટ પ્રતિદિન વધતો જાય છે.

આ વિશે અખિલેશ યાદવે યોગી સરકાર પર નિશાન તાક્યું હતું. અખિલેશ યાદવે કહ્યું કે ભાજપના રાજમાં અપરાધના નવા કીર્તિમાન રચાઈ રહ્યા છે. ઉત્તરપ્રદેશમાં વર્ષ 2022ના પ્રથમ ચાર મહીનામાં 82 બાળકો લાપતા બન્યા છે. પોલીસ અપહરણના કેસ નોંધવામાં ઢીલ કરી રહી છે અને ભાજપ સરકાર મૂકપ્રેક્ષક બનીને બેઠી છે. ઉત્તરપ્રદેશમાં સત્તાના સંરક્ષણમાં અરાજકતા અને અવ્યવસ્થાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ભાજપના નેતાઓ અહંકારમાં ડૂબેલા છે તથા સ્થાનિક અધિકારીઓ પણ ભાજપના દબાણમાં આવીને અસલ ગુનેગારોને છાવરી રહ્યા છે.

અખિલેશે આક્ષેપ મૂક્યો કે કન્નૌજના શૌરીખમાં ભાજપના કાર્યકરે એક દલિત બાળકી પર દૂષ્કર્મ ગુજારી તેની હત્યા કરી નાખી. ઝાંસીમાં ટોલપ્લાઝા પર ભાજપના કાર્યકરોએ હોબાળો મચાવ્યો. ભાજપ, ગુનેગાર અને પોલીસની ત્રિપૂટીથી લોકોને તથા ખાસ કરીને બહેનો-દીકરીઓને કઈ રીતે બચાવવા તે સૌથી મોટો સવાલ છે.
Read Also
- વજન ઘટાડી પાતળી કમરના માલિક બનવું હોય તો આ શાકભાજી ખાવાનું ચાલુ કરી દો, બસ જાણી લો ખાવાનો યોગ્ય પ્રકાર
- એકબીજા પર બોજ બન્યા વિના તમારા સંબંધને બનાવો મજબૂત, ઇન્ટરડિપેન્ડેન્ટ રિલેશનશિપ માટે ફોલો કરો આ 5 ટિપ્સ
- પાર્ટનરને સરપ્રાઈઝ આપતી વખતે ક્યારેય ના કરશો આ 5 ભૂલ, નહીતર બગડી શકે છે સંબંધ
- મહારાષ્ટ્ર મહા સંકટ / સુપ્રીમ કોર્ટમાંથી બળવાખોર ધારાસભ્યોને મળી મોટી રાહત, ડિપ્ટી સ્પીકરને ફટકારી નોટિસ
- વંદે ગુજરાતમાં અધિકારીઓ મંત્રીઓને ગાંઠતા નથી, ખબર છે કે ફરી મંત્રી નથી બનવાના