બોલીવુડ એક્ટર વરુણ ધવન અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ ભેડિયા (Bhediya) 25 નવેમ્બરના રોજ રિલીઝ થઈ હતી. બોક્સ ઓફિસ પર હોરર કોમેડી ‘ભેડિયા’ અને ‘દૃશ્યમ 2’ (Drishyam 2) વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. બીજી તરફ સોશિયલ મીડિયા પર બંને સ્ટાર્સ અજય દેવગણ અને વરુણ ધવન એક-બીજાને સક્સેસના અભિનંદન પાઠવી રહ્યા છે.

તાળીઓના ગડગડાટ સાંભળીને વરુણ ઘણો ખુશ થયો
ઓડિયન્સની પ્રતિક્રિયા જોવા માટે વરુણ ધવન રવિવારે બાંદ્રાના એક થિયેટરમાં પહોંચ્યો હતો. શો દરમિયાન દર્શકોની સીટીઓ અને તાળીઓના ગડગડાટ સાંભળીને વરુણ ઘણો ખુશ થયો હતો. શો પૂરો થયા બાદ વરુણ ફેન્સ સાથે સેલ્ફી લેતો પણ જોવા મળ્યો હતો. થિયેટરમાંથી પરત ફર્યા બાદ ખુશી વ્યક્ત કરતા વરુણે ટ્વિટર પર લખ્યું કે- #ભેડિયાએ મને એટલો પ્રેમ આપ્યો છે કે, આટલા બધા લોકોને થિયેટરમાં આવતા જોઈને આશ્ચર્ય થાય છે.
#bhediya has given me so much love it feels amazing to to see Soo many people coming to the theatres . A special Sunday as #Dhrishyam2 and #Bhediya give a lot of happiness to all cinema lovers congratulations @ajaydevgn sir and @AbhishekPathakk pic.twitter.com/zOXFAAwFYx
— VarunDhawan (@Varun_dvn) November 27, 2022
વરુણે ટ્વીટ કરીને અજય દેવગણને અભિનંદન પાઠવ્યા
વરુણે ‘દૃશ્યમ 2’ અને ‘ભેડિયા’ બંને માટે ખુશી વ્યક્ત કરતા લખ્યું કે, સ્પેશિયલ સન્ડે #દૃશ્યમ 2 અને #ભેડિયા તમામ સિનેમા પ્રેમીઓને ખૂબ જ આનંદ આપી રહયા છે. અભિનંદન અજય દેવગણ સર અને અભિષેક પાઠક સર..
અજય દેવગણે વરુણને રોકસ્ટાર ગણાવ્યો
Hey @Varun_dvn
— Ajay Devgn (@ajaydevgn) November 28, 2022
I’m happy Bhediya & Drishyam 2 have managed to bring the audiences back to the theatres. It’s a feel good moment for us as an Industry. You're a rockstar ✨ https://t.co/7P4uVABcjn
વરુણ ધવનના ટ્વીટ પર રિપ્લાઈ આપતા અભિનેતા અજય દેવગણે તેમના વખાણ કર્યા છે. અજયે પોતાના ટ્વીટમાં લ્ખયું કે, હેય વરુણ ધવન. મને ખુશી છે કે, ભેડિયા અને દૃશ્યમ 2 દર્શકોને સિનેમાઘરોમાં પાછા લાવવા માટે સફળ રહ્યા છે. તે ઈન્ડસ્ટ્રીના રૂપમાં અમારા માટે એક સારી ક્ષણ છે અને તમે એક રોકસ્ટાર છો.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- “ધીરજ સાહુ ભાજપમાં જોડાય તો ક્લીનચીટ ન આપી દેતા”, સાંસદ પ્રિયંકા ચતુર્વેદીના ચાબખા
- અમેરિકા: રાષ્ટ્રપતિની ચૂંટણીના સર્વેમાં ડોનાલ્ડ ટ્રમ્પે હાલના રાષ્ટ્રપતિ બાઈડનને છોડી દીધા પાછળ
- જેલમાં બંધ નરગિસ વતી તેના બાળકો નોબેલ પ્રાઈઝ સ્વીકારશે, 31 વર્ષથી ઈરાનની જેલમાં છે નરગિસ
- Vishnu Deo Sai / જાણો છત્તીસગઢના નવા મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય વિશે
- વિષ્ણુદેવ સાય બનશે છત્તીસગઢના નવા મુખ્યમંત્રી, મોદી સરકારમાં રહી ચુક્યા છે મંત્રી