GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

અમદાવાદ / RAHUL GANDHI અને ADANI મુદ્દે અશોક ગેહલોતે કેન્દ્ર સરકાર અને પીએમ મોદી પર કર્યા પ્રહાર

અમદાવાદમાં આજે 29 માર્ચે કોંગ્રેસની સંકલ્પ સત્યાગ્રહ પ્રેસ કોન્ફરન્સમાં રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે   RAHUL GANDHI અને ADANI મુદ્દે કેન્દ્ર સરકાર અને પીએમ મોદી પર પ્રહાર કર્યા હતા.   RAHUL GANDHIનું સંસદ સભ્ય પદ રદ કરવા અંગે સીએમ અશોક ગેહલોતે કહ્યું હતું કે લોકશાહીની હત્યા કરવામાં આવી છે. 

તો ADANI મુદ્દે પ્રહાર કરતા તેમણે કહ્યું કે રાજીવ ગાંધીના સમયમાં જેપીસી બનાવમાં આવી હતી. પરંતુ આ સરકાર જેપીસીની રચના કરતી નથી. અશોક ગેહલોતે કહ્યું હતું કે આ દેશ કઈ દિશામાં જશે કોઈને ખબર નથી. તમામ દેશવાસીઓ માટે ચિંતાનો વિષય છે. વિપક્ષ વિના લોકતંત્ર ન હોય પણ મોદીજીના રાજમાં ચાલે છે.

તેમણે  ઉમેર્યું હતુ કે હું પોતે ઓબીસીમાંથી આવું છું. RAHUL GANDHI અને સોનિયા ગાંધીએ મને વારંવાર મુખ્યમંત્રી બનાવ્યો છે..પરંતુ ભાજપ કહે છે કે કોંગ્રેસ ઓબીસીનું અપમાન કરે છે. જો અપમાન હોય તો મને મુખ્યમંત્રી ન બનાવ્યો હોત.આજે હું રાજસ્થાનમાં  સરકારમાં છું. વિપક્ષ કોઈ પણ મુદ્દો લઈને આવે ત્યારે ચર્ચા કરવાની હોય છે. જો કે કેન્દ્રની સરકારમાં ચર્ચા કરવામાં આવતી નથી. રાહુલ ગાંધીના પ્રશ્ન ઉપર પ્રધાનમંત્રી કેમ ચિંતિત ન થયા તે સવાલ છે, પ્રધાનમંત્રીને પોતાના પર ઘમંડ છે.

READ ALSO

Related posts

‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન

Nakulsinh Gohil

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો

Nakulsinh Gohil

બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે

Hardik Hingu
GSTV