Last Updated on April 8, 2021 by pratik shah
અમદાવાદ શહેરમાં બુધવારે કોરોનાના ફરી એક વખત રેકોર્ડબ્રેક ૮૦૪ કેસ નોંધાયા છે.ઉપરાંત કોરોના સંક્રમિત થવાથી વધુ છ લોકોના મોત થયા છે. શહેરમાં સતત વધી રહેલા કોરોનાના કેસની સાથે ગત માર્ચથી અત્યાર સુધીમાં કુલ મળીને કોરોનાના ૭૩૩૨૩ કેસ નોંધાવા પામ્યા છે.શહેરમાં હાલની પરિસ્થિતિમાં એકિટવ કેસની સંખ્યા વધીને ૨૫૮૯ ઉપર પહોંચવા પામી છે.

શહેરમાં હાલની પરિસ્થિતિમાં એકિટવ કેસની સંખ્યા વધીને ૨૫૮૯ ઉપર પહોંચી
શહેરમાં બુધવારે અત્યાર સુધીના કોરોનાના સૌથી વધુ ૮૦૪ કેસ નોંધાયા છે.બુધવારે છ લોકોના મોત થતા અત્યાર સુધીમાં કોરોનાથી કુલ ૨૩૩૩ લોકોના મરણ થવા પામ્યા છે.શહેરમાં બુધવારે ૪૩૯ દર્દીઓને રજા આપવામાં આવતા અત્યાર સુધીમાં કુલ ૬૮૦૪૨ લોકો કોરોના મુકત થયા છે.શહેરમાં એકિટવ કેસની સંખ્યા ૨૫૮૯ નોંધાવા પામી છે. અમદાવાદ શહેરમાં વકરતી જતી કોરોના સંક્રમણની પરિસ્થિતિની વચ્ચે આધારભૂત સૂત્રોમાંથી મળતી માહીતી મુજબ,શહેરમાં આવેલી મોટાભાગની ખાનગી હોસ્પિટલોમાં આવેલા કુલ બેડ પૈકી ૭૮ ટકા બેડ કોરોનાના દર્દીઓથી ભરાઈ ગયા છે.ઉપરાંત દર્દીઓ માટે રાખવામાં આવેલા આઈ.સી.યુ.વીથ વેન્ટિલેટરના બેડ પણ ફૂલ થવા લાગ્યા છે.

શહેરમાં આવેલી ખાનગી કોવિડ હોસ્પિટલોમાં કોવિડના દર્દીઓ માટે કુલ ૩૩૯૦ બેડ ફાળવવામાં આવ્યા છે.આ પૈકી ૨૫૩૦ બેડ ઉપર કોરોનાના દર્દી સારવાર લઈ રહ્યા છે. શહેરના સોલા વિસ્તારમાં આવેલી સોલા સીવીલ હોસ્પિટલ ખાતે લોકોની ઈમ્યુનિટીમાં વધારો થાય એ માટે આયુર્વેદિક ઉકાળા ઉપરાંત દવાઓ અને હોમિયોપેથી દવાઓ વિતરણ માટે તૈયાર કરવામાં આવી રહી છે.આગામી દિવસોમાં લોકો સુધી આ દવાઓ આયુષ વિભાગ અને સોલા સીવીલ હોસ્પિટલ દ્વારા પહોંચતી કરવાનુ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
સિવિલ હોસ્પિટલમાં 11 બાળકો સારવાર હેઠળ
શહેરના અસારવા વિસ્તારમાં આવેલી સીવીલ હોસ્પિટલમાં હાલ ૧૧ કોરોના સંક્રમિત બાળકો સારવાર હેઠળ છે.જે પૈકી બે બાળકોની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળે છે.અત્યાર સુધીમાં કુલ ત્રણ સંક્રમિત બાળકોના મરણ થવા પામ્યા છે.

ઝાયડસ હોસ્પિટલ ખાતે રેમડેસીવીર ઈન્જેકશન લેવા લોકોની કતાર
અમદાવાદ ઉપરાંત રાજયના અન્ય વિસ્તારોમાં ઝડપથી વધી રહેલા કોરોના કેસની વચ્ચે એસ.જી.હાઈવે ઉપર આવેલી ઝાયડસ હોસ્પિટલમાં સસ્તા દરથી રેમડેસીવીર ઈન્જેકશન મળતુ હોવાથી અમદાવાદ ઉપરાંત અમદાવાદ બહારના શહેરોમાંથી પણ લોકો ઈન્જેકશન લેવા માટે વહેલી સવારથી લાઈનમાં ઉભા રહેલા નજરે પડતા હતા.
આઈ.આઈ.એમ.એ.માં સંક્રમણ યથાવત
શહેરના શૈક્ષણિક સંસ્થાન આઈ.આઈ.એમ.એમાં કોરોના સંક્રમણ યથાવત રહેવા પામ્યું છે.મંગળવારે વધુ નવ કેસ નોંધાવા પામ્યા હતા.અત્યાર સુધીમાં કુલ ૧૪૦ થી પણ વધુ કેસ નોંધાવા પામ્યા છે.
READ ALSO
- BREAKING: કેન્દ્રીય મંત્રી રમેશ પોખરિયાલ કોરોના પોઝિટીવ, હોમ આઈસોલેશનમાં ગયા
- આ 5 વસ્તુઓ ઘરમાં રાખવાથી ક્યારેય પૈસા ની કમી થતી નથી
- હેલ્થ /ઉનાળામાં ગરમીથી બચવા પીવો આ ખાસ ચા, મહિલાઓ માટે છે વધુ ફાયદાકારક
- આ રાજ્યમાં ખરીદાશે ઓક્સિજન સિલિન્ડર, 1 કરોડ રૂપિયાના ખર્ચને મુખ્યમંત્રીએ કરી દીધું મંજૂર
- પ્રિયંકા ગાંધીના આરોપો પર બીજેપી નેતા સંબિત પાત્રાએ આપ્યો આ સ્ફોટક જવાબ, આપત્તિના સમયમાં ગરમાયું રાજકારણ
