કોંગ્રેસના કદ્દાવર નેતા અને પક્ષમાં ચાણક્ય જેવું સ્થાન ધરાવતા અહેમદ પટેલનું ૭૧ વર્ષની વયે નિધન થયું હતું. તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સ્વાસ્થ્ય કથળ્યું હતું જેથી તેમને ગુરુગ્રામ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમણે અંતીમ શ્વાસ લીધા હતા. ડોક્ટરોના જણાવ્યા અનુસાર કોરોનાને કારણે તેમના વિવિધ અંગોએ કામ કરવાનું બંધ કરી દેતા નિધન થયું હતું.

અહેમદ પટેલને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં ૧૫મી નવેમ્બરે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા
અહેમદ પટેલને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં ૧૫મી નવેમ્બરે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. તેમના પુત્ર ફૈઝલના જણાવ્યા અનુસાર અહેમદ પટેલનું નિધન પરોઢીયે ૩.૩૦ વાગ્યે નિપજ્યું હતું. અહેમદ પટેલના પુત્ર ફૈઝલે ટ્વિટ કરીને કહ્યું હતું કે મારા પિતાનો કોરોના રિપોર્ટ એક મહિના પહેલા જ પોઝિટિવ આવ્યો હતો, ત્યારથી તેઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. ધીરે ધીરે તેમના અંગોએ કામ કરવાનું બંધ કરી દીધુ હતું. કોરોનાને કારણે તેમનું સ્વાસ્થ્ય વધુ કથળ્યું હતું. હું લોકોને વિનંતી કરું છું કે કોરોનાને ગંભીરતાથી લેવામાં આવે અને સાવચેતી રાખવામાં આવે.


અહેમદ પટેલને કોંગ્રેસના ચાણક્ય પણ માનવામાં આવતા
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના અનેક મોટા નેતાઓ, સેલિબ્રિટીઓએ અહેમદ પટેલના નિધનને પગલે દુઃખ વ્યક્ત કર્યું હતું અને શ્રદ્ધાંજલી પાઠવી હતી.કોરોનાને કારણે કોંગ્રેસના અન્ય એક વરીષ્ઠ નેતા અને આસામના પૂર્વ મુખ્ય પ્રધાન તરુણ ગોગોઇનું પણ નિધન થયું હતું, જે બાદ કોંગ્રેસે કોરોનાને કારણે અહેમદ પટેલ તરીકે બીજા મોટા નેતા ગુમાવ્યા છે. અહેમદ પટેલને કોંગ્રેસના ચાણક્ય પણ માનવામાં આવતા, તેઓ સોનિયા ગાંધીના સલાહકાર રહ્યા તેમજ ગાંધી પરિવાર તેમની પાસેથી અનેક બાબતોની સલાહ રહેતો રહ્યો.

તેઓ સોનિયા ગાંધીના સલાહકાર રહ્યા તેમજ ગાંધી પરિવાર તેમની પાસેથી અનેક બાબતોની સલાહ રહેતો રહ્યો
૨૧મી ઓગસ્ટ ૧૯૪૯ના રોજ ગુજરાતના અંકલેશ્વરના પિરામણમાં જન્મેલા અહેમદ પટેલે પોતાના રાજકીય જીવનની શરૂઆત નગરપાલિકાથી કરી હતી, પોતાની મહેનતને કારણે તેઓ કોંગ્રેસમાં મોટા નેતા બની ગયા અને પૂર્વ વડા પ્રધાન ઇંદિરા ગાંધીના સંપર્કમાં આવ્યા, ૧૯૭૭થી ૧૯૮૨ દરમિયાન તેઓ ગુજરાત યુવા કોંગ્રેસના અધ્યક્ષ પણ રહ્યા.જ્યારે ૧૯૭૭માં દેશભરમાં ઇંદિરા ગાંધી વિરુદ્ધ દેશમાં માહોલ હતો અને તેઓ લોકસભાની ચૂંટણી પણ હારી ગયા હતા, બીજી તરફ અહેમદ પટેલ આ માહોલમાં પણ ભરુચથી લોકસભાની ચૂંટણી જીતી ગયા હતા અને સાથે જ ગુજરાતમાં કોંગ્રેસને જીત અપાવવામાં પણ મહત્વનું યોગદાન આપ્યું હતું.
ગુજરાતમાં કોંગ્રેસને જીત અપાવવામાં પણ મહત્વનું યોગદાન આપ્યું
૧૯૭૭થી તેઓ સતત કેન્દ્રીય રાજકારણમાં સક્રિય રહ્યા. ૧૯૭૭,૧૯૮૦,૧૯૮૪માં લોકસભાની ચૂંટણી તેઓ ભરુચથી જ જીત્યા હતા. તેઓ બાદમાં રાજીવ ગાંધીની નજીક આવતા તેઓએ અહેમદ પટેલને પોતાના સંસદીય સચીવ બનાવ્યા, બાદમાં જ્યારે સોનિયા ગાંધીએ રાજકારણમાં પ્રવેશ કર્યો ત્યારે અહેમદ પટેલે તેમને સાથ આપ્યો. ૨૦૦૪ની લોકસભાની ચૂંટણીમાં જીત માટે બડદા પાછળ રહી મહત્વની ભૂમિકા અદા કરી હતી. ચાર દસકા સુધી રાજકીય જીવન જીવનારા અહેમદ પટેલ ગાંધી પરિવારમાં સૌથી નજીકના નેતા હતા. તેમને ગાંધી પરિવાર પછી સૌથી કદ્દાવર નેતા પણ માનવામાં આવતા હતા.
READ ALSO
- 20 હજાર રૂપિયા પગાર છે તો પણ તમે ખરીદી શકો છો કાર, નહીં પડે પોકેટ પર EMIનો ભાર
- સાઉથના આ સુપરસ્ટારની બોલીવુડમાં એન્ટ્રી, સાઇલન્ટ ફિલ્મથી શરૂ કરશે હિન્દી ફિલ્મોમાં કરિયર
- સ્થાનિક સ્વરાજની ચૂંટણી/ કોંગ્રેસને પક્ષપલ્ટાનો ડર, ‘પક્ષ છોડીને જઇશું નહીં’ તેવી બાંહેધરી બાદ જ વિપક્ષ ફાળવશે ટિકિટ
- હવે ઘરે બેઠા જ ઉપાડી શકાશે પૈસા, આ સરકારી બેન્ક લઇને આવી છે Door Step Banking સુવિધા
- અમદાવાદ/ અંદાજીત 40 સીબીએસઇ સ્કૂલો આજથી શરૂ, વાલીઓના પ્રવેશ પર મનાઇ: ગાઇડલાઇનનુ પણ સંપૂર્ણ પાલન