GSTV
India News Trending

રાજકારણ / શરદ પવારની સલાહ પછી સાંસદ રાઉત રાહુલને સમજાવશે, સાવરકરના મુદ્દે રાહુલ ગાંધી સાથે કરશે ચર્ચા

ઉદ્ધવ ઠાકરેએ રાહુલ ગાંધીને વીર સાવરકરનું અપમાન કરવા સામે ચેતવણી આપી પછી હવે સમાધાનના પ્રયાસો શરૂ કર્યા છે. ઉદ્ધવ વતી શિવસેના સાંસદ સંજય રાઉત રાહુલને મળીને ભાષણો અને પ્રેસ કોન્ફરન્સમાં સાવરકરનો ઉલ્લેખ કરવાનું ટાળવા માટે સમજાવવાનો પ્રયાસ કરશે. સંજય રાઉતે કહ્યું કે, વીર સાવરકર અમારા દેવતા છે. સાવરકર અમારી આસ્થા સાથે જોડાયેલા છે અને અમે તેમનું અપમાન સહન કરી શકતા નથી. હું નવી દિલ્હીમાં રાહુલ ગાંધીને મળીને વીર સાવરકરના મુદ્દે રાહુલ ગાંધી સાથે ચર્ચા કરીશ. હું તેમને સાવરકરે આપેલા બલિદાન વિશે સમજાવીશ.

સૂત્રોના મતે, ઉદ્ધવ ઠાકરેને શરદ પવારે ચેતવણી આપી તેના પગલે ઉદ્ધવે સમાધાનકારી વલણ અપનાવ્યું છે. પવારનું માનવું છે કે, દરેક નેતા પોતાની વિચારધારા પ્રમાણે નિવેદન આપી શકે છે. નિવેદનોના આધારે જોડાણનો નિર્ણય લેવાવો જોઈએ નહીં. પવારે એ વાત પર પણ ભાર મૂક્યો કે, ભાજપને હરાવવો હોય તો એનસીપી, કોંગ્રેસ અને ઉધ્ધવની શિવસેનાએ સાથે જ રહેવું પડશે.

READ ALSO

Related posts

IPL : ફાઈનલ મેચ શરૂ થાય તે પહેલા ચેન્નઈના આ સ્ટાર ખેલાડીએ આઈપીએલને કહ્યું અલવિદા

Hardik Hingu

કર્ણાટક કોંગ્રેસમાં ફરી કકળાટ : પુત્તરંગશેટ્ટીએ વિધાનસભાના ઉપાધ્યક્ષ બનાવવાનો કર્યો ઈનકાર

Hardik Hingu

આ દિવસે મા લક્ષ્મીની મૂર્તિની સામે પીળી કોડી રાખો, તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહેશે

Hardik Hingu
GSTV