GSTV
Mehsana ગુજરાત

મહેસાણામાં મનીષ સીસોદીયાએ યોજ્યો રોડ શો, કહ્યું- ‘ગુજરાત મોટા પરિવર્તન માટે તૈયાર’

ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઇ રાજકીય પાર્ટીઓ સક્રિય બની ગઈ છે. ત્યારે AAPના પણ મોટા નેતાઓ ગુજરાતમાં આંટાફેરા મારીને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આજે મહેસાણા ખાતે AAPના નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદીયા મહેસાણામાં રોડ શો યોજી લોકોનો અભિવાદ ઝીલ્યો હતો.

રામજી મંદિર દર્શન કાર્ય બાદ તોરણવાળી માતા સુધી યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સિસોદિયાએ જણાવ્યું હતું કે, ‘ગુજરાત મોટા પરિવર્તન માટે તૈયાર છે. પરિવર્તન માત્ર નેતાઓ કે પાર્ટીઓ માટે નહીં પણ હોસ્પિટલમાં, શાળાઓમાં પરિવર્તન માગી રહ્યું છે.

27 વર્ષથી જે BJPએ પરિવર્તન નથી કર્યું એ પરિવર્તન અરવિંદ કેજરીવાલ કરશે. જેથી લોકો માટે સારી હોસ્પિટલ બની શકે, બાળકો માટે સારી સ્કૂલો બની શકે, તેમજ મોંઘવારી પર કામ કરી શકે તે માટે સરકાર બનશે.’

READ ALSO

Related posts

ચાંદખેડામાં પ્રેમ-પ્રકરણમાં યુવતીના કાકા સહિત ત્રણ શખ્સોએ યુવાનનું કર્યું અપહરણ, નગ્ન કરીને ઢોર માર માર્યા બાદ છોડી મૂક્યો

pratikshah

AHMEDABAD / બસમાં બાજુમાં બેઠેલા યુવકે નશાયુક્ત બિસ્કિટ ખવડાવી બેભાન કર્યા, સાડા ત્રણ લાખ લૂંટી લીધા

Nakulsinh Gohil

માલધારીઓના ઢોરવાડા બહાર જ અચોક્કસ મુદતનાં ધરણા, ગાયોના મૃત્યુ મામલે માલધારી સમાજની પડખે આવ્યા કોંગી નેતા

pratikshah
GSTV