GSTV
India News ટોપ સ્ટોરી

તેલંગણામાંથી આવી હૈરાન કરનારી ખબર: કોરોના વૈક્સિન લીધાના 5 દિવસ બાદ મહિલા સ્વાસ્થ્ય કર્મીનું મોત, થશે હાઈ લેવલની તપાસ

દુનિયાના સૌથી મોટા કોરોના વેક્સિનેશન અભિયાનનો ભારતમાં પ્રારંભ થઇ ગયો છે. પ્રથમ તબક્કામાં સ્વાસ્થ્યકર્મીઓ તથા ફ્રન્ટલાઇન વર્કરોને રસી આપવામાં આવી રહી છે. ત્યારે દેશમાં કોરોના વેક્સિન લીધા બાદ કેટલાક સ્વાસ્થ્યકર્મીઓના મોત થયા છે. મોત બાદ તેમના પરિવારના લોકોએ વેક્સિનની સુરક્ષાને લઇનને સવાલો ઉઠાવ્યા છે. જો કે આ તમામ લોકોના મોત કોરોના વેક્સિનને કારણે નહીં, પરંતુ અન્ય કારણોસર થયા છે. તેવી માહિતિ સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવી છે.

ત્યારે આ યાદીમાં વધારે એક નામનો ઉમેરો થયો છે. તેલંગણામાં એક મહિલા સ્વાસ્થ્યકર્મીનું મોત થયું છે. આ મહિલાએ ગત 19 જાન્યુઆરીના દિવસે કોરોના વેક્સિન લીધી હતી. જિલ્લાની એફએફઆઇ કમિટિ આ ઘટનાની તપાસ કરી રહી છે. તપાસ બાદ કમિટી પોતાની રિપોર્ટ રાજ્યની એઇએફઆઇ કમિટિને મોકલાશે. તેલંગણાના જાહેર સ્વાસ્થ્ય ડાયરેક્ટરે આ વાતની જાણકારી આપી છે.

આ પહેલા તેલંગણાના નિર્મલ જિલ્લાના કુંઠાલા સરકારી હોસ્પિટલમાં કોરોના વેક્સિન લગાવ્યા બાદ વિઠ્ઠલ નામના વ્યક્તિનું હાર્ટ એટેકના કારણે મોત થયું હતું. વિઠ્ઠલે પણ 19 જાન્યુઆરીએ જ કોરોના વેક્સિન લીધી હતી. તે સરકારી હોસ્પિટલમાં ડ્રાઇવર તરીકે કામ કરતો હતો. જો કે રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે જાણકારી આપી હતી કે નિર્મલના મોત સાથે કોરોના વેક્સિનનો કંઇ સંબંધ નથી.

READ ALSO

Related posts

પાકિસ્તાન પર ચીનનું લગભગ 1.5 બિલિયન ડૉલરનું દેવું, ચીન આપી ખુલ્લી ધમકી

Nelson Parmar

વિકસિત ભારત માટે Vision 2047 લગભગ તૈયાર, પીએમ મોદી જાન્યુઆરીમાં કરશે લોન્ચ

Nakulsinh Gohil

મહારાષ્ટ્ર: કસારામાં રેલ્વે લાઇન પર માલગાડીના 2 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા

Hardik Hingu
GSTV