આ વર્ષના જુલાની પહેલીથી દક્ષિણ કશ્મીરમાં આવેલી અમરનાથ બાબાની યાત્રા શરૂ થશે એેવી જાહેરાત રાજભવન તરફથી કરવામાં આવી હતી.
રાજભવનમાં શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડની મિટિંગ મળી હતી. એમાં આર્ટ ઑફ લિવિંગના વડા શઅરી રવિશંકરજીએ હિન્દુ કેલેન્ડર મુજબ સૂચવ્યા પ્રમાણે પહેલી જુલાઇથી 46 દિવસ માટે અમરનાથ યાત્રા યોજવાની ઔપચારિક જાહેરાત કરાઇ હતી.

પહેલી જુલાઇથી શરૂ થનારી આ યાત્રા શ્રાવણી પૂર્ણિમા એટલે કે રક્ષાબંધન ના દિવસ સુધી ચાલશે. આ વરસે રક્ષા બંધન 15મી ઑગષ્ટે આવનાર છે. અમરનાથ યાત્રા બોર્ડને આ બાબતમાં સલાહ આપવા શ્રી શ્રી રવિશંકરની આગેવાની હેઠળ એક સમિતિ રચવામાં આવી હતી. સમિતિએ આ સમયપત્રક બોર્ડને સોંપ્યું હતું.
- પરિવાર વેરવિખેર / અંકલેશ્વરમાં પતિ જ પત્નીની હત્યા કરી ફરાર, પોલીસે આરોપી પતિને પકડવા ચક્રોગતિમાન કર્યા
- અમદાવાદ / ધોલેરા પાસે વર્ષ 2010માં કરી હતી યુવકની હત્યા, ક્રાઈમ બ્રાન્ચે હત્યાનો ભેદ ઉકેલી ચાર આરોપીઓની કરી અટકાયત
- ખેડૂતોની ફરી ચિંતા વધશે / ગુજરાતમાં એપ્રિલના પ્રથમ સપ્તાહમાં કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં વિસ્તારમાં થશે માવઠું
- Supreme Court / પક્ષપલટા વિરોધી કાયદામાં ગેરલાયક સાંસદોને ચૂંટણી લડતા અટકાવવાની માંગ, EC એ એફિડેવિટમાં કેન્દ્ર પર કહી આ વાત
- વડોદરા / રામનવમીની શોભાયાત્રા દરમિયાન ઉશ્કેરણીજનક ઉચ્ચારણો બદલ VHP નેતા રોહન શાહની અટકાયત
અમરનાથ યાત્રા બોર્ડ પહેલગામ તરફથી અને ગંદેરબલ જિલ્લાના બાલટાલ તરફથી એમ બંને તરફથી અમરનાથ યાત્રા યોજે છે. બંને તરફથી દરેક કાફલામાં 7500 7500 યાત્રાળુઓને મોકલવાની જોગવાઇ કરવામાં આવશે એમ રાજભવનના પ્રવક્તાએ વધુમાં કહ્યું હતું.