બેન્કોના ખાનગીકરણના વિરોધમાં સરકારી બેન્કોના કર્મચારીઓની બે દિવસની હડતાળ પૂરી થઈ ગઈ છે પણ આ દરમિયાન 37000 કરોડ રુપિયાનુ ક્લિયરિંગ અટવાઈ ગયુ હતુ.
શનિવાર અને રવિવારના કારણે હવે સોમવારથી જ બેન્કોમાં કામગીરી પૂર્વવત રીતે શરુ થાય તેવી શક્યતા છે.બેન્કોના કર્મચારીઓ 16 અને 17 ડિસેમ્બર એમ બે દિવસ હડતાળ પર હતા અને તેના કારણે કુલ 38 લાખ ચેક અટવાઈ ગયા હતા અને તેનુ પેમેન્ટ થઈ શક્યુ નહોતુ.

ગ્રાહકોએ બેન્કોનુ કામ બંધ હોવાથી હેરાનગતિ વેઠી હતી અને બીજી તરફ વ્યવસાયીઓને પણ નુકસાન ઉઠાવવુ પડ્યુ હતુ.એક મીડિયા રિપોર્ટ પ્રમાણે ઓલ ઈન્ડિયા બેન્ક એમ્પોલોઈઝ એસોસિએશનના સી એચ વેંકટચલમે કકહ્યુ હતુ કે, 38 લાખ ચેક અટવાઈ જવાથી 37000 કરોડની રકમનુ દેશમાં ક્લિયરિંગ થયુ નથી.
ચેન્નાઈમાં 10600 કરો઼ડ રુપિયાના 10 લાખ ચેક, મુંબઈમાં 15400 કરોડ રુપિયાના 18 લાખ ચેક અને દિલ્હીમાં 11000 કરોડ રુપિયાના 11 લાખ જેટલા ચેક ક્લીયર થયા નહોતા.

હડતાળ દરમિયાન ખાનગી બેન્કોની કામગીરી ચાલી રહી હતી પણ આ બેન્કોના ચેક ક્લિયરિંગ પર પણ હડતાળની અસર પડી હતી.
ઉલ્લેખનીય છે કે, સરકાર સંસદમાં બે સરકારી બેન્કોનુ ખાનગીકરણ કરવાનો પ્રસ્તાવ મુકે તેવી શક્યતા છે અને તેનો સરકારી બેન્કોના કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે.
Read Also
- સુરેન્દ્રનગરમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત! ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે થયો ભીષણ અકસ્માત, 15થી વધુ મજૂરો થયા ઈજાગ્રસ્ત
- અબજોપતિ મીડિયા સમ્રાટ રુપર્ટ મડોર્ક 92 વર્ષની વયે કરશે પાંચમાં લગ્ન, 8 મહિના પહેલા જ અભિનેત્રી જેરી હેલને આપ્યા હતાં છૂટાછેડા
- છેલ્લા દસ વર્ષમાં એક પણ ICC ટ્રોફી નથી જીત્યું ભારત : પાકિસ્તાની ખેલાડીએ જણાવ્યું નિષ્ફ્ળતાનું કારણ
- મુંબઈ / વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે સવારથી કમોસમી વરસાદ, દેશના 12 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
- Hair Care Tips/ વાળમાં નથી તકતો ડાયનો કલર, અજમાવો મહેંદી સાથે જોડયેલ આ 3 ઉપાય