ભાવનગરના પોપટનગર વિસ્તારમાં ગઈકાલે રાત્રીના 15 વર્ષના કિશોરે એક વ્યક્તિની હત્યા કરી હતી. સામાન્ય બોલાચાલીમાં છરીના ઘા ઝીંકીને મુન્નાભાઇની હત્યા નિપજાવી હતી. સી ડિવિઝન મથકના પીઆઇ તથા સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ મૃતકના પીએમ માટેની કાર્યવાહી હાથ ધરી હતી. આ હત્યામાં સગીરના પિતાએ પણ મદદગારી કરી હોવાથી પોલીસે બંન્નેની પિત્રા પુત્રની અટકાયત કરી હતી. બંનેના કોરોનાના ટેસ્ટ માટેની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી.
અયોધ્યામાં મંદિર નિર્માણ માટે નિલમબાગ પેલેસની માટી અને જળ મોકલવામાં આવ્યા
અયોધ્યા ખાતે બનનાર ભવ્ય મંદિરના નિર્માણમાં પવિત્ર યાત્રાધામો અને તીર્થોની માટી તેમજ પાણી મોકલવામાં આવી રહ્યું છે. ત્યારે ભાવનગરના નિલમબાગ પેલેસમાંથી પણ આજે સંતો મહંતોના હસ્તે નિલમબાગ પેલેસની માટી અને જળ મોકલવામાં આવ્યું હતું. જે કાર્યક્રમ વિશ્વ હિન્દુ પરિષદ ભાવનગરના આગેવાનો દ્વારા કરવામાં આવ્યો હતો.
READ ALSO
- વાસ્તુશાસ્ત્ર/ ઘર બનાવતી વખતે વાસ્તુના આ 6 નિયમો ધ્યાનમાં રાખો, કોઈ પણ અવરોધો વિના થશે જીવનમાં પ્રગતિ
- કોંગ્રેસે મુખ્યમંત્રીને લખ્યો પત્ર, સરકારી ગ્રાન્ટેડ શાળામાં કારકિર્દી માર્ગદર્શન-વોકેશનલ ગાઈડન્સ માટે કાયમી વ્યવસ્થા તંત્ર સ્થાપિત કરવા કરી માંગ
- Animal સામે ટક્કર આપવા તૈયાર છે વિક્કી કૌશલની Sam Bahadur, ધડાધડ થઈ રહ્યું છે ફિલ્મનું એડવાન્સ બુકિંગઃ જોઈ લો આંકડાઓ
- અયોધ્યા રામ મંદિર જનારા મુસાફરો માટે ખાસ તૈયારીઓ, જાન્યુઆરીમાં 100 સ્પેશિયલ ટ્રેનો શરૂ થશે
- ગુરુ બૃહસ્પતિ અને શુક્ર દેવે સમસપ્તક રાજયોગ બનાવ્યો, આ 4 રાશિના લોકોને આકસ્મિક ધનલાભની સાથે ભાગ્યોદયના પ્રબળ યોગ