GSTV
India News Trending

Fact Check: જનધન ખાતામાંથી જ્યારે પણ પૈસા ઉપાડશો અથવા જમા કરાવશો ત્યારે લાગશે 100 રૂપિયા ચાર્જ, જાણો શું છે સચ્ચાઈ

થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર વહેતી થયેલી ખબરોએ અમુક લોકોને ચિંતામાં મુકી દીધા છે. વાત એવી છે કે, અમુક ખાનગી અને સાર્વજનિક બેંકોએ બચત ખાતામાં પૈસા ઉપાડવા અને જમા કરવા પર પોતાના ચાર્જ વધારવાનો નિર્ણય કર્યો છે. બીજી બાજૂ જનધન ખાતામાંથી પૈસા ઉપાડવા પર 100 રૂપિયા ચાર્જ લગાવવામાં આવશે અને ત્રીજૂ બેંક ઓફ બરોડાના બચત ખાતામાં પૈસા જમા કરાવવા અથવા ઉપાડવા પર પોતાનો ચાર્જ વધારી દીધો છે. આ ત્રણેય દાવાની સચ્ચાઈ જાણવા માટે PIB Fact Check ખોટા મેસેજ ગણાવ્યા છે.

આપને જણાવી દઈએ કે, પીઆઈબી ભારત સરકારની નીતિઓ, કાર્યક્રમની પહેલ અને ઉપલબ્ધીઓ વિશે સમાચાર પત્રો, તથા ઈલેક્ટ્રોનિક મીડિયાને માહિતી આપતી મુખ્ય એજન્સી છે. પીઆઈબીએ સલાહ આપી છે કે, કોરોનાકાળમાં જ નહીં પણ દેશમાં જ્યારે આવી સંકટની ઘડી આવે છે, ત્યારે આવા પ્રકારના મેસેજ વાયરલ થતાં હોય છે. ત્યારે આવા સમયે સોશિયલ મીડિયા પર વાયરલ થતાં મેસેજની ખરાઈ કર્યા બાદ જ તેના પર કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા અથવા અમલ કરવાનું રાખો.

આવી ભ્રામક ખબર માટે અહીં કરો ફરિયાદ

આપને જણાવી દઈએ કે, સરકાર સાથે જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે, ખોટી તે જાણવા માટે PIB Fact Checkની મદદ લઈ શકાય છે. કોઈ પણ વ્યક્તિ PIB Fact Checkને શંકાસ્પદ ખબરનો સ્ક્રિનશોટ, ટ્વીટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 અથવા [email protected] મેલ કરી શકે છે.

READ ALSO

No comments to show.

Related posts

કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ

Vushank Shukla

ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું

Vushank Shukla

મહારાષ્ટ્ર : ચંદ્રપુરના કાનપા ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત

Hardik Hingu
GSTV