રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ દેશમાં ઇસ્લામિક બેંક લાવવા માટેની દરખાસ્તને સ્વીકાર નહીં કરવાનો નિર્ણય કર્યો છે. માહિતી અધિકાર હેઠળ માંગવામાં આવેલી માહિતીના જવાબમાં રિઝર્વ બેંકે આ મુજબની પ્રતિક્રિયા આપી છે.
રિઝર્વ બેંકે કહ્યું છે કે, તમામ નાગરિકોને બેંકિંગ અને અન્ય નાણાંકીય સેવાઓની વિસ્તૃત અને એક સમાન તકની સુવિધાના હેતુસર આ નિર્ણય કરવામાં આવ્યો છે.
આરટીઆઈના જવાબમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં ઇસ્લામિક બેંક લાવવાના મુદ્દાને લઇને રિઝર્વ બેંક અને સરકાર દ્વારા વિચારણા કરવામાં આવી ચુકી છે. તમામ નાગરિકોને બેંકિંગ અને ફાઈનાન્સિયલ સર્વિસ વિસ્તૃત અને સમાનરીતે ઉપલબ્ધ થાય તે માટે પ્રસ્તાવને આગળ નહીં વધારવાનો નિર્ણય કરાયો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના તમામ પરિવારોને વ્યાપક નાણાંકીય મામલાઓમાં સામલે કરવાના હેતુસર ૨૮મી ઓગસ્ટ ૨૦૧૪ના દિવસે રાષ્ટ્રીય મિશન જનધન યોજનાની શરૂઆતક કરી હતી.
આરબીઆઈ પાસેથી દેશમાં ઇસ્લામિક અથવા તો વ્યાજમુક્ત બેંકિંગ વ્યવસ્થા સ્થાપિત કરવા માટે લેવામાં આવેલા પગલાના સંદર્ભમાં માહિતી માંગવામાં આવી હતી.